“નરસિંહ મહેતા એવોર્ડ 2014 – અર્પણ સમારોહ”
આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ,જુનાગઢ દ્વારા વિદ્યમાન ગુજરાતી કવિને અપાતો પ્રતિવર્ષ અપાતો ગૌરવપ્રદ,વીસમો એવોર્ડ સુપ્રસિદ્ધ કવિશ્રી હરીશ મીનાશ્રુને એનાયત થશે.
ગુજરાતના સાક્ષરો અને કવિતા પ્રેમીઓની ઉપસ્થિતિમાં કવિની વંદના કરી, ₹ 151000/-ની રાશી સાથે,નરસિંહ મહેતાની પ્રતિમા સાથેનો એવોર્ડ પરમ પ્રિય મોરારીબાપુના હસ્તે અર્પણ થશે.
આ અવસરે સાહિત્યકાર રાજેશ પંડ્યા વિશેષ વક્તવ્ય આપશે અને સર્વશ્રી રઘુવીર ચૌધરી અને લાભશંકર પુરોહિત પ્રસંગોચિત ઉદબોધન કરશે.
સ્વર પ્રતિભા પીયુષ દવે અને બિહાગ જોશી નરસિંહ અને હરીશ મિનાશ્રુની રચનાઓનું ગાન કરશે.
નુપુર બુચનું કલાવૃંદ અને રૂપાયતન બાલ ભવનના બાળકો નૃત્ય વંદના કરશે.
કવિ હરીશ મીનાશ્રુ સ્વરચિત કાવ્ય પાઠ કરશે અને મોરારીબાપુ પ્રાસંગિક પ્રસન્નતા અને આશીર્વચન પાઠવશે.
મોરારીબાપુની પાવક અને પ્રેરક ઉપસ્થિતિમાં,રૂપાયતન – જુનાગઢના નીસર્ગરમ્ય પરિસરમાં,શીતલ સાંજે અને રૂપેરી ચાંદનીની સાક્ષીએ યોજાતા આ ભવ્ય અને ગૌરવશાળી અવસરમાં આપ સહુ સાદર નિમંત્રિત છો…
તારીખ:8મી ઓક્ટોબર,2014.. સાંજે 5:30…
સ્થળ:રૂપાયતન, ગિરી તળેટી, ભવનાથ,જુનાગઢ.