નરસિંહ મહેતા એવોર્ડ – 2014

“નરસિંહ મહેતા એવોર્ડ 2014 – અર્પણ સમારોહ”

આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ,જુનાગઢ દ્વારા વિદ્યમાન ગુજરાતી કવિને અપાતો પ્રતિવર્ષ અપાતો ગૌરવપ્રદ,વીસમો એવોર્ડ સુપ્રસિદ્ધ કવિશ્રી હરીશ મીનાશ્રુને એનાયત થશે.
ગુજરાતના સાક્ષરો અને કવિતા પ્રેમીઓની ઉપસ્થિતિમાં કવિની વંદના કરી, ₹ 151000/-ની રાશી સાથે,નરસિંહ મહેતાની પ્રતિમા સાથેનો એવોર્ડ પરમ પ્રિય મોરારીબાપુના હસ્તે અર્પણ થશે.
આ અવસરે સાહિત્યકાર રાજેશ પંડ્યા વિશેષ વક્તવ્ય આપશે અને સર્વશ્રી રઘુવીર ચૌધરી અને લાભશંકર પુરોહિત પ્રસંગોચિત ઉદબોધન કરશે.
સ્વર પ્રતિભા પીયુષ દવે અને બિહાગ જોશી નરસિંહ અને હરીશ મિનાશ્રુની રચનાઓનું ગાન કરશે.
નુપુર બુચનું કલાવૃંદ અને રૂપાયતન બાલ ભવનના બાળકો નૃત્ય વંદના કરશે.
કવિ હરીશ મીનાશ્રુ સ્વરચિત કાવ્ય પાઠ કરશે અને મોરારીબાપુ પ્રાસંગિક પ્રસન્નતા અને આશીર્વચન પાઠવશે.

મોરારીબાપુની પાવક અને પ્રેરક ઉપસ્થિતિમાં,રૂપાયતન – જુનાગઢના નીસર્ગરમ્ય પરિસરમાં,શીતલ સાંજે અને રૂપેરી ચાંદનીની સાક્ષીએ યોજાતા આ ભવ્ય અને ગૌરવશાળી અવસરમાં આપ સહુ સાદર નિમંત્રિત છો…

તારીખ:8મી ઓક્ટોબર,2014.. સાંજે 5:30…
સ્થળ:રૂપાયતન, ગિરી તળેટી, ભવનાથ,જુનાગઢ.

MNP લોચા !

ઘણાં સમયથી વિચારી રહ્યો હતો કે હું મારા BSNLનું MNP (Mobile Number Portability) કરાવી લઉં. બે ત્રણ વખત તો મેં પ્રયત્ન પણ કરી જોયો. પણ ન જાણે કેમ BSNLનો મેસેજ “A silent friend comes to mind late…” મને બીજામાં પોર્ટીંગ કરતા રોકી દેતો. પરંતુ છેલ્લા કેટલાક કડવા અનૂભવોને કારણે મન મક્કમ કરી લીધું કે હવે તો ગમે તે ભોગે BSNL છોડીને જ રહીશ…

પછી મારી ખોજ શરૂ થઇ, કે ક્યા સર્વીસ પ્રોવાઇડર સાથે જોડાવવું… એક તો નક્કી જ કરી લીધેલ હતું કે સ્વદેશી ટેલીકોમ કંપની જ પસંજ કરવી. એટલે એરટેલ, આઇડીયા, વીડીયોકોન જેવી કંપનીઓ મગજમાં ખરી. પરંતુ બધું વિચારર્યા પછી, છેલ્લે ઉલ્લું બનાવીંગ…!dea ને પસંદ કર્યું. તાત્કાલીક મેસેજ કર્યો: PORT 94299***** TO 1900. તુરત જ રીપાલ્યની સાથે મને યુનિક નંબર મળ્યો. હું આઇડીયાની ઓફિસે ગયો અને ત્યાં ફોર્મ ભર્યું.

બીજા દિવસે મને BSNL જૂનાગઢની કચેરીમાંથી ફોન આવ્યો. મને એમ કે હમણાં તેઓ બીજી કંપનીની જેમ રીક્વેસ્ટ કરશે… કે તમે અમારી કંપનીમાંથી શા માટે જવા માગો છો? શું પ્રોબ્લેમ છે? વિગેરે…વિગેરે….પરંતુ એવું કશુ જ ન થયું. મે જેવું કારણ બતાવ્યું કે મને નેટવર્કનો બહું પ્રોબ્લેમ છે, કે તુરત જ તેણે “ઠીક છે” કરી ફોન ડીસકનેક્ટ કરી આપ્યો…

MNP લોચો હવે શરૂ થાય છે… બે દિવસે મને મેસેજ મળ્યો કે તમારા ડોક્યૂમેન્ટસ્ સ્વીકારાઇ ગયા છે, અને MNPની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેનાં પછીના બીજા દિવસે મને ફરી મેસેજ મળે છે કે આપનું SIM આજે રાત્રીના 23:30 (સાડા અગિયાર) વાગ્યે બંધ થઇ જશે, અને આપનું નવું !deaનું SIM શરૂ કરવા 59059 પર કોલ કરવો.

બીજા દિવસે સવારે મેં !deaનું SIM શરૂ કરવા મારા પ્રાયમરી મોબાઇલને બદલે !deaનું સીમ બીજા મોબાઇલમાં દાખલ કર્યું. અને 59059 પર કોલ કરી વેરીફીકેશન કરાવ્યું. એટલે મારું નવું આઇડીયાનું કાર્ડ શરૂ થઇ ગયું. અન્ય માબાઇલમાંથી મેં મારા નંબર 94299***** પર કોલ કરી જોયો, નવા !idea ના SIM માં કોલ રીસીવ પણ થયો. પણ મને એક અફસોસ થયો કે મેં આગલા દિવસે જ મારા જૂના BSNLમાં ₹ 50 નું રીચાર્જ કરાવેલ. કિંમત નાની ગણાય, પરંતુ ગુજરાતી સ્વભાવ હોઇ, એ જતું કરી શકાય નહીં. મેં તુરત BSNL જેમાં ચડાવેલ હતું, તે મોબાઇલ જોયો. તેમાં હજૂ પણ નેટવર્ક ફુલ બતાવતું હતું. મેં બેલેન્સ ચેક કર્યું. બેલેન્સ પણ બતાવે… મને કશુ સમજાયું નહીં. કે એક જ નંબરનાં બે કાર્ડ…!!!

હા, આવું કોઇ દિવસ નહીં બન્યું હોઇ. મેં તો આવો કિસ્સો ક્યારેય નથી જોયો. રાબેતા મુજબ એવું થાય કે જૂનુ સીમ કાર્ડ રાત્રે બંધ થઇ જાય, તે કાર્ડ ઇનએક્ટીવ થઇ જાય અને તેના કોન્ટેક્ટસ તથા બેલેન્સ બધું જતું રહે. પણ મારા કિસ્સામાં એવું કશું થયું નથી. અને અચરજ તો ત્યારે થાય, કે હું મારા જ નંબરમાંથી મને ફોન કરી શકું છું. એટલે કે હું મારા નંબર 94299***** પર થી એના એજ નંબર 94299***** પર કોલ કરી શકું છું. એનાથી પણ ચડિયાતું કે મારા જૂના BSNLના કાર્ડમાંથી કોઇ કોલ ચાલું હોઇ, તો પણ હું !deaના સીમમાં કોલ રીસીવ થઇ શકે છે. હવે એક ટ્રાય કરવાની બાકી છે…? બોલો કઇ…? બેલેન્સ પુરાવવાની… હું મારા આ નંબર પર રીચાર્જ કરું તો ક્યા સીમમાં બેલેન્સ આવશે…?

મને લાગે કે કદાચ બન્નેમાં…જે ઓપરેટર સીલેક્ટ કરી, રીચાર્જ કરીશ, તેમાં રીચાર્જ થઇ શકશે. આવતી કાલે એ પણ પ્રયત્ન કરી જોઇશ. અહીં કદાચ એવું બન્યું હોય કે BSNLમાંથી મારો જૂનો નંબર બંધ કરવાનો રહી ગયો હોય. એમ પણ બને… જે હોય તે, પણ મારું બેલેન્સ પુરુ ન થાય ત્યાં સુધી BSNLનું જૂનુ સીમ મોબાઇલની બહાર નથી કાઢવું… પછી એ પણ પ્રયત્ન કરી જોઇશ…

2013 in review

The WordPress.com stats helper monkeys prepared a 2013 annual report for this blog.

Here’s an excerpt:

The concert hall at the Sydney Opera House holds 2,700 people. This blog was viewed about 9,300 times in 2013. If it were a concert at Sydney Opera House, it would take about 3 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.